Ekatra Foundation
06/13/2026
‘એકત્ર’ ગ્રંથગુલાલ
ગુજરાતી શોધનિબંધ-સાહિત્યની ત્રણ આધારભૂત સંદર્ભસૂચિઓ હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.
ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે M.Phil. અને Ph.D. માટે સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, સંશોધકો, ગ્રંથપાલો અને અભ્યાસીઓ માટે એકત્ર ફાઉન્ડેશન ત્રણ અત્યંત મૂલ્યવાન સંદર્ભસૂચિઓ એકસાથે ઉપલબ્ધ કરાવે છે. વિષય-પુનરાવર્તન ટાળવા, પૂર્વે થયેલા સંશોધનોની માહિતી મેળવવા, સંશોધનનો ઇતિહાસ જાણવા અને નવા સંશોધનની દિશા નક્કી કરવા આ ત્રણેય ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડશે.
📘 ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ’
સંપાદક : પ્રકાશ વેગડ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_મહાનિબંધ_સંદર્ભસૂચિ
પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે ફ્રાન્સ, અમેરિકા, ગ્રેટ બ્રિટન, જર્મની તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્વીકૃત ૩૪૪ મહાનિબંધોની વર્ગીકૃત માહિતી ધરાવતો મહત્વપૂર્ણ ગ્રંથ.
📘 ‘ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ’
સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાતી_શોધપ્રબંધ_સંદર્ભસૂચિ
ઈ.સ. ૧૮૫૭થી ૨૦૦૨ સુધીના ગુજરાતી અને હિંદી વિષયોના શોધનિબંધોની વ્યાપક અને સુવ્યવસ્થિત સૂચિ. કૃતિ-વિવેચન, સર્જક-મૂલ્યાંકન, કથાસાહિત્ય, કવિતા, નાટક, સાહિત્યસિદ્ધાંત અને ભાષાશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રોના સંશોધનોની સૂચિ આ પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. જ્યાં શક્ય બન્યું છે ત્યાં દરેક શોધનિબંધનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે, જેથી સંશોધકોને પૂર્વેના સંશોધનપ્રવાહનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે.
📘 ‘ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’
સંપાદકો : ઉષા ઉપાધ્યાય અને અશોક પટેલ
https://wiki.ekatrafoundation.org/wiki/ગુજરાત_વિદ્યાપીઠની_ગુજરાતી_શોધનિબંધ_સંદર્ભસૂચિ
ગુજરાત વિદ્યાપીઠમાં M.Phil. અને Ph.D. માટે થયેલા ગુજરાતી સંશોધનોની સુવ્યવસ્થિત અને વિશ્વસનીય સંદર્ભસૂચિ. સંશોધનવિષયો, સંશોધકો અને માર્ગદર્શકો અંગેની માહિતી ધરાવતો આ ગ્રંથ નવા સંશોધનકારો માટે માર્ગદર્શકરૂપ બની રહેશે.
આ ત્રણેય સંદર્ભસૂચિઓ હવે એકત્ર પર ડિજિટલ સ્વરૂપે વિનામુલ્યે ઉપલબ્ધ છે.
05/24/2026
‘એકત્ર’ ગ્રંથગુલાલ
'માડી મને સાંભરે રે'
સંપાદક : ચંદુ મહેરિયા
wiki.ekatrafoundation.org/wiki/માડી_મને_સાંભરે_રે
ગુજરાતી દલિત સાહિત્યમાં માતૃત્વ, સ્મૃતિ અને જીવનસંઘર્ષને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું એક મહત્વપૂર્ણ સંપાદન ‘માડી મને સાંભરે રે’ હવે ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશન પર ઉપલબ્ધ.
આ ગ્રંથમાં કુલ ૨૧ લેખો સમાવાયા છે, જેમાં નીરવ પટેલ, જોસેફ મેકવાન, બી. એન. વણકર, બબલદાસ બી. ચાવડા, હરીશ મંગલમ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી જેવા અગત્યના સર્જકોના સંવેદનસભર લેખો સમાવાયા છે.
✨ અહીં ‘મા’ માત્ર સ્મૃતિ કે લાગણીનું પ્રતિક નથી, પરંતુ ગરીબી, સામાજિક અસમાનતા અને જીવનસંઘર્ષ વચ્ચે અડગ ઊભેલી સ્ત્રીશક્તિનું જીવંત પ્રતિબિંબ બનીને આવે છે.
✨ વ્યક્તિગત અનુભવો અહીં સામૂહિક સંવેદનામાં રૂપાંતરિત થાય છે.
✨ ગુજરાતી દલિત જીવન, લાગણીઓ અને સંઘર્ષોને સમજવા માટે આ ગ્રંથ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સમાન છે.
🌐 હવે વિનામૂલ્યે વાંચો ફાઉન્ડેશન પર
👉 https://www.ekatrafoundation.org/
05/14/2026
‘એકત્ર’ ગ્રંથગુલાલ
'દરિયાપારથી...' સંચયિત નિબંધો - પ્રીતિ શાહ-સેનગુપ્તા
https://www.ekatrafoundation.org/p/dariyaparthi
વિશ્વ પ્રવાસી પ્રીતિ શાહ-સેનગુપ્તા,
જ્યારે 'સોલો ટ્રાવેલિંગ'નો કોઈ ટ્રેન્ડ કે ટર્મ નહોતી, ત્યારથી એટલે કે છેલ્લા 30-40 વર્ષોથી તેઓ એકલા પ્રવાસ કરી રહ્યા છે. 100થી વધુ દેશ જોઈ ચૂક્યા છે, ઉત્તર ધ્રુવ (North Pole)સુધી પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા છે.
પ્રીતિબેન માત્ર પ્રવાસી જ નથી, પણ એક જાણીતા વાર્તાકાર, કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક પણ રહ્યા છે.
📖 ‘દરિયાપારથી...’માં તેમના ત્રણ નિબંધસંગ્રહોમાંથી પસંદ કરાયેલા ૯૦ નિબંધો સમાવાયા છે.
‘દરિયાપારથી...’ તેમના સંચયિત નિબંધોનો ઇ-ગ્રંથ હવે એકત્ર પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ડ્રોઈંગરૂમમાં બેઠાં બેઠાં દુનિયાના અનેક શહેરો, સંસ્કૃતિઓની સફર કરવી હોય તો ‘દરિયાપારથી...’ તમારા માટે છે.
https://ekatrafoundation.org/
05/02/2026
'એકત્ર' ગ્રંથગુલાલ
'માટીનો મહેકતો સાદ' - મકરન્દ દવે
https://wiki.ekatrafoundation.org/wiki/માટીનો_મહેકતો_સાદ
‘માટીનો મહેકતો સાદ’ હળધર બળરામની કથા છે. પુરાણોમાં જે બળરામની છબી ઉપસે છે એ એક મદ્યપ અને મસ્તરામની છે. પરંતુ બળરામ ધરતી સાથે જોડાયેલા આદમી હતા. એમનું આયુધ હળ છે, એ ખૂબ અર્થપૂર્ણ છે.
એમને ખેતીમાં, પ્રકૃતિમાં, ધરતી માતાની ઉપાસનામાં રસ હતો. ખુલ્લા દિલના નિખાલસ બળરામ પૃથ્વીને શેષ રૂપે ધારણ કરી રહ્યા છે. તે બહુ જાણીતા નાગરૂપે જ નહીં પરંતુ સર્વને વહેંચી આપવામાં આવતા યજ્ઞશેષ અન્ન-પ્રસાદ રૂપે પણ ખરા.
ગીતાએ જેને યજ્ઞશિષ્ટ અમૃત કહ્યું એ કર્તવ્ય કર્મ પછીનો આનંદ છે. એ જ શેષ, જે યજ્ઞનારાયણની શિખાને શિરે ધરી સદા પ્રજ્વલિત રાખે છે. મકરન્દભાઈ કહે છે, વિષ્ણુ એના વિના અધૂરા રહી જાય.
ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન અધૂરું, છિન્નભિન્ન અને અર્થહીન થઈ જાય. એ વાત નિબંધ દ્વારા કહેવી હતી, પરંતુ વાર્તારસીયા મિત્રો માટે નવલકથા દ્વારા કહી દીધી.
મકરન્દભાઈ કહે છે, પૃથ્વી અને પારલૌકિતતા વચ્ચેના તંતુનું અહીં આલેખન છે. તેમાં લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે.
અધ્યાત્મમાં રસ ધરાવતા વાંચકોને અહીં સહજ વાર્તારસની સાથે જીવનપાથેય પણ મળી જાય છે. આ નવલકથા ગુજરાતી સાહિત્યને એક આગવું પ્રદાન છે.
- વિમલ દવે
આ કૃતિ એકત્ર ફાઉન્ડેશન પર વિનામુલ્યે ઉપલબ્ધ છે
https://ekatrafoundation.org
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Durham, NC