Natural Health Tips
05/08/2025
અશકિ્ત – નબળાઈ માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ:
-ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.
-જમ્યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
-એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
-અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.
-ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.
-રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.
-સફેદ કાંદો ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
-મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
-પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
-એક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
-દૂધમાં બદામ, પીસ્તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
-ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.
-ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા.
-ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે.
-મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
-સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે
➡️ ધ્યાન (મેડિટેશન) 10-15 મિનિટ – શાંતિ અને ફોકસ માટે.
1. હેલ્ધી સવારનું પીણું / નાસ્તો
✅ આયુર્વેદ મુજબ:
ભીંજવેલા બદામ + મખાણા + અખરોટ + દ્રાક્ષ
હળદર-દૂધ, તુલસી-અદરક ચા, લીમ્બુ પાણી, એલોયવેરા જ્યૂસ
સિંધી પાણક, દહીં કે છાસ, આંવળા જ્યૂસ, તાજા ફળો
પૌવા, ઉપમા, ઈડલી, રાગી / ઓટ્સ પોરેજ, મગની દાળ ચીલા
❌ શું ટાળવું?
સવારે ચા-કોફી તરત ન પીવી (અસિડિટિ, ડિહાઈડ્રેશન થાય).
પેકેજ્ડ ફૂડ, બિસ્કિટ, બ્રેડ, તળેલું ટાળવું.
થોડા સમય સુધી ભારે ખોરાક (પરોઠા, પુરી, ભજીયા) ન ખાવું.
2. આદર્શ રુટિન માટે અગત્યની બાબતો
✔️ ઉઠતા જ મોબાઈલ ચેક ન કરો.
✔️ વહેલી સવારે હળવા અને સકારાત્મક વિચારો રાખો.
✔️ પ્રકૃતિમાં સમય વિતાવો (ગાર્ડન, બગીચો, નદી કે તળાવ પાસે).
✔️ નિયંત્રણમાં જમવું, હળવું અને પૌષ્ટિક ખાવાનું પસંદ કરવું.
26/01/2025
15/07/2021
Click here to claim your Sponsored Listing.
Category
Address
Vapi
396195