Vijya Graphics

Vijya Graphics

Share

Photos from Vijya Graphics's post 16/10/2024

કવિતામાં છંદ અને ગણિતનો સબંધ

આ વિષય ખૂબ ઊંડો અને અઘરો છે માટે આપણે તેના પર સારસદૃષ્ટિ ફેરવી જઈશું.
છંદશાસ્ત્રના પ્રણેતા અને રચયિતા મહર્ષિ પિંગળ મુનિ હતા. વૈદિક ગણિત માં binary numbers દ્વિસંગી સંખ્યાના પ્રણેતા પણ મહર્ષિ પિંગળ મુનિ હતા.
સ્વર, વ્યંજન અને તેના ઉચ્ચારણની લંબાઈ કે માત્રાની સુક્ષ્મતામાં જઈ પિંગળમુનિએ સ્વર અને સંખ્યા વચ્ચે સંબંધ સ્થાપ્યો. મૂળ તો સંસ્કૃતભાષામાં આ શાસ્ત્રોમાં જ્ઞાન આપ્યું પણ હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓની જનેતા સંસ્કૃત હોવાથી આ પિંગળશાસ્ત્ર અન્ય ભાષીઓએ પોતાની બોલી પ્રમાણે સ્વીકાર્યું. અહીં ગુજરાતી ભાષાની સાપેક્ષમાં આપણે તેના પર દૃષ્ટિ ફેરવશું.
જે સ્વરનો ઉચ્ચારણ ટૂંકો હોય, જેમકે અ, ઇ, ઉ ને હ્રસ્વ અથવા લઘુ સ્વર કહેવાય. તેને ૧ માત્રાનું વજન ગણવામાં આવે છે.
જે સ્વરનો ઉચ્ચારણ લાંબો હોય, જેમકે આ, ઈ, ઊ, ઐ, ઓ તેને દીર્ઘ અથવા ગુરુ સ્વર કહેવાય. તેને ૨ માત્રાનું વજન ગણવામાં આવે છે.
સ્વરના ઉચ્ચારણના આ લાંબા અને ટૂંકા ધ્વનિ આપણા કાનને અથડાય છે તેની length લંબાઈને આધારે મુનિ તેને સંખ્યા આપે છે. ટૂંકા-હ્રસ્વ સ્વરો ને 1 અને લાંબા-દીર્ઘ સ્વરોને 2 ક્રમાંક આપે છે. આ લઘુ-ગુરુ સ્વરોથી સર્જાતા ધ્વનિ, તેના અલગ અલગ વૈવિધ્ય અને સંયોજન (permutations and combinations) થી સર્જાતા લયને એક ચોક્કસ બંધારણ (formula) આપે છે જેને છંદ કહેવાય છે.
- A binary star is a system in which two stars revolve around each other દ્વિગુણી એવી અંકપધ્ધતિ છે જેમાં બે અંકો એકબીજાની આસપાસ ફરે છે.
- The binary number system has two as its base, માટે લઘુ અને ગુરુ અક્ષરને 1 અને 2 માત્રાનું વજન આપવામાં આવે છે .
‘ગુરુ’ એ જગતનું સૌથી ઉચ્ચ વ્યક્તિત્વ છે, છતાંય ગુરુ શબ્દ બે લઘુ અક્ષરમાંથી બન્યો છે કારણ શ્રી ગુરુ આપણને લઘુ બનવાની કળા શીખવે છે.
ગુજરાતી ભાષા તો એટલી સમૃદ્ધ છે કે ઇ અને ઈ સ્વરોને પણ નામ છે, જેને અજ્જુ કહેવાય છે અને ઉ અને ઊ સ્વરોને વરડુ કહેવાય છે. વાચકો ને ખ્યાલ આવે કે આપણે જે ગુજરાતી બોલીએ છીએ એ ટપોરી ગુજરાતી છે (જેમ મુંબઈ ની ટપોરી બોલિવૂડ હિન્દી હોય તેમ). સ્વર અને ધ્વનિનું આપણે બોલતી વખતે ધ્યાન રાખતા નથી. ક્યાંક લઘુ ઉચ્ચારોને ગુરુ તો ક્યાંક ગુરુ ઉચ્ચારોને લઘુની જેમ બોલતાં રહીએ છે.
સંતો પરમ જાગૃત હોય છે. તેઓ આ વિજ્ઞાન સમજ્યા છે માટે જ તેઓ આ સૂક્ષ્મતા પકડી શક્યા છે અને છંદબદ્ધ કાવ્ય રચી શકે છે.
(‘વદે રાયચંદ’ પુસ્તકમાંથી)
કુલ પાનાં પાનાં: ૨૪૪ (કલર બુક)
લે. રાજીવ કોઠારી
કિંમત રૂ ૩૦૦ (કુરિયર સહિત)
પ્રાપ્તિસ્થાન: વિજ્યા પબ્લિકેશન, સુરત : ૯૮૭૯૫૭૫૯૦૫

Want your business to be the top-listed Shop in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Surat
395009

Opening Hours

Monday 7am - 10pm
Tuesday 7am - 10pm
Wednesday 7am - 10pm
Thursday 7am - 10pm
Friday 7am - 10pm
Saturday 7am - 5pm
Sunday 7am - 12pm