Konark Surat

Konark Surat

Share

18/09/2025

પ્રિય મિત્રો
સુરતના ડીંડોલી વિસ્તારમાં એક એવી પણ સેવાકીય સંસ્થા છે જે બિનવારસી વૃદ્ધોની સાવચેતી અને ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરી એમની સેવા કરી રહ્યું છે, જી હા હું વાત કરી રહ્યો છું " ઓલ્ડ એજ હોમ" નામની સંસ્થા, મિત્રો અહીંયા 200 થી વધારે બિનવારસી વૃદ્ધો રહે છે, જેમાં કેટલાક માનસિક બીમાર છે, જેમના સ્વાસ્થ્ય માટે રોજબરોજ ભાગદોડમાં દિવસ પણ નાનો પડે છે, મિત્રો અહીંયા આ વૃદ્ધોની સેવા માટે આગળ આવવા આપશ્રી તમામ મિત્રોને હું અપીલ કરું છું, બસ તમારો નાનકડો સહયોગ 200 વૃદ્ધોને જમાડશે, અહીંયા જન્મતિથિ, પૂર્ણયતિથિ, જન્મ દિવસની ઉજવણી સહિત નો એક સમયનો જમવાનો ખર્ચ માત્ર 11, 000 છે, જેમાં બે શાક, દાળ-ભાટ, પાપડી, ભજીયા, અને સ્વીટ સહિતની વાનગીઓ વૃદ્ધોને પીરસાય છે, આજીવન આપણા માતા-પિતા ની યાદમાં આવી સેવામાં જોડાવવા હું તો સહમત છું બસ તમારો સહકાર જોઈએ છીએ, વૃદ્ધોની સેવા જેવી કોઈ ઉત્તમ સેવા નથી
જો મન બને તો સંપર્ક કરો આશિષ મોદી 9879377111 (વોટ્સએપ નંબર પણ આજ છે)

Photos from Konark Surat's post 07/09/2024

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું

દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 વાગ્યા થી 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરાશે

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે

બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થતો હતો: નવી સિવિલના એલર્જી ક્લિનિકમાં વિનામૂલ્યે નિદાન સાથે સારવાર થશે

સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.


નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે ૧૦ થી ૧૫ મિનિટમાં એલર્જીની પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.


આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો.વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCAના ડો.પરેશ કોઠારી, IMAના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSSના દિનેશભાઈ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Photos from Konark Surat's post 28/06/2024

સાહસિક : સુરતની અદિતિ અને અનુજા બન્ને બહેનોએ વિશ્વનો સૌથી ઊંચો શિખર સર કરી દેશનું નામ રોશન કર્યું

ગુજરાતનું નામ અંતરરાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્રે ચમકાવ્યું

સુરત ગુજરાત ની એવરેસ્ટ સિસ્ટ્ટર્સ તરીકે જાણીતી બહેનો ,અદિતિ અને અનુજા વૈદ્ય એ નોર્થ અમેરિકન ઉપખંડ નો સૌથી ઉંચો, અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરી ને ફરી એક વાર સુરત શહેર અને ગુજરાત નું નામ અંતર રાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્ર માં ચમકાવ્યું છે.

આ સાથે બંને બહેનો, આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી બહેનો બની છે તથા અનુજા એ ,દુનિયા ના સાત ઉપખંડ ના સાતે સાત સૌથી ઉંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે.
એમની સાથે આ અભિયાન માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ, અમદાવાદ ના ડૉ. હેમંત લેઉવા તથતેમના પત્ની ડો. સુરભિ લેઉવા એ આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ બનવા નું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.
ડો હેમંત લેઉવા ની લીડર શિપ નીચે આખી ટીમ નું આ શિખર આરોહણ-25 ડિગ્રી તામાનમાં સફળ રહ્યું હતું.

માઉન્ટ ડેનાલી, એ પહાડ ના બેઝ થી ગણીએ તો દુનિયા નો સૌથી ઉંચો પર્વત છે. એવરેસ્ટ , બેઝ થી 11000 ફુટ ઉંચો છે. જ્યારે ડેનાલી બેઝ થી 20,000 ફુટ ઉંચો છે.

આ રીતે તે દુનિયા નું સૌથી ઊંચું શિખર ગણાય છે. તે સાતેય શિખરો માંથી સૌથી મુશ્કેલ શિખર મનાય છે. તેઓ 9 જુલાઈ સુધી સુરત પરત આવી જશે.

11/05/2024

સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી : નર્સિસ બહેનોને બિરદાવી સન્માન કરાયું

દયાની દેવી ગણાતી નર્સિંગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે: ઈકબાલ કડીવાલા

સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા 12મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે 2024ની થીમ 'OUR NURSES, OUR FUTURE, THE ECONOMIC POWER OF CARE' એટલે કે, નર્સિંસ, આપણું ભવિષ્ય, સાર-સંભાળની આર્થિક શક્તિ વિષય ઉપર નર્સિંગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.


નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે ઈન્ટરનેશનલ નર્સ ડે. જેનો સબંધ ૨૦૦ વર્ષ પૂર્વે 12 મે,1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે.


આ અવસરે અંગદાન મહાદાનના પ્લે કાર્ડ સાથે સિવિલની નર્સિંગ સ્ટાફગણે કેક કાપી ફુગ્ગાઓ ઉડાડી શાંતિ સંદેશ આપ્યો હતો. નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી નર્સ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી.


દયાની દેવી ગણાતી નર્સિંગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે એમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું.


‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ દર વર્ષે 12 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. 1820માં ક્લોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિગના પાયા તરીકે લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી.


આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. પ્રિતીબેનકાપડિયા, આર.એમ.ઓ.ડો. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી ચીમનતીની ગાવડે, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ પંડ્યા, નિલેશ લાઠીયા, ડો.લક્ષ્મણ ટહેલાણી, ડો.ભરત પટેલ, ડો.અમિત ગામિત, તારિકાબેન ટંડેલ અને ગીતા ટેલર તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


B-602, Rameshwaram Residency, Near Lp Sawani School
Surat
395009