Jivdaya Group Rajkot
01/04/2026
*મહાવીર જન્મ કલ્યાણકના દિવસે*
*જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે*
*૧૩૦૧ મરઘા ના જીવોને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા*
*પૂજ્ય ઇન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રય ના આશીર્વાદ મળ્યા.*
તા. ૩૧/૩/ર૬ નાં મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં જીવદયા ગ્રુપનાં મોભી આદરણીય શ્રી ઉપેનભાઈ મોદી અને બાપા સીતારામ ગેો સેવા મંડળના સમીરભાઈ કામદારના માર્ગદર્શન હેઠળ ૧૩૦૧ મરધાના જીવોને નવકાર મંત્ર અને માગંલીક બોલી નીભાવ ખર્ચ ૫૧૦૦૦/- સાથે મૂકવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મેહુલભાઈ રવાણી તથા શ્રી વિરેન્દ્રભાઈ સંઘવી એ કર્યું હતુ. મોભી શ્રી ઉપેનભાઈ મોદી દવારા સર્વેને આવા જીવદયા કાર્યમાં જોડાવવા માટે આહવાહન કરવામાં આવેલ તથા પ્રેરક બળ પૂરૂ પાડવામાં આવેલ. વિરેન્દ્રભાઈ સંઘવી અને મેહુલભાઈ રવાણી દવારા મહાવીર જન્મ કલ્યાણક ના દીવસે જીવદયાનાં ઉતમ કાર્યને વધુમાં વધુ થાય તેવું વકતવ્ય સર્વને આપવામાં આવેલ. આ સમયે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં પ્રમુખ શ્રી મહેશભાઈ શાહ તથા શ્રી જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજયભાઈ વખારીયા હાજર રહયા હતા.
દાતાશ્રીઓ પૂજ્ય ઇન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રય ના સોનલબાઈ મહાસતિજી, અતુલભાઈ શેઠ, ઉપેનભાઈ મોદી સમગ્ર પરીવાર, હીમાંશુભાઈ ચીનોય, મેહુલભાઈ સંઘાણી, વિરેન્દ્રભાઈ સંઘવી, ડીમ્પલબેન શાહ, છાયાબેન શાહ, હીનાબેન સંઘવી હસ્તક દાતાશ્રીઓ, ધનુભાઈ મહેતા મુંબઈ, હરેનભાઈ મહેતા, પીયુષભાઈ ઉદાણી, ભાસ્કરભાઈ કોઠારી, અશ્વિનભાઈ અજમેરા, વિમલભાઈ શેઠ, યોગેશભાઈ મહેતા, મુકેશભાઈ કોઠારી પરીવાર, કીર્તિભાઈ શાહ પરીવાર, હર્ષ મહેતા,સુનીલભાઈ દામાણી, નીરવભાઈ પારેખ વગેરે દાતાઓનો સહકાર મળ્યો હતો.
આ જીવદયા કાર્યને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ મોદી, નીરવભાઈ સંઘવી, વિજયભાઈ દોશી, દીનેશભાઈ મોદી, નીલેશભાઈ શાહ, નીલેશભાઈ દોશી, મેહુલભાઈ સંઘાણી, હીરેનભાઈ કામદાર, અરૂણભાઈ નિર્મળ, હરેશભાઈ દોશી, જયશ્રીબેન દોમડીયા, દીપકભાઈ મીઠાણી, ડીમ્પલબેન શાહ, જીગરભાઈ દોમડીયા, પૂજાબેન દોશી, પ્રશાંતભાઈ દોશી વિશાખાબેન દામાણી, બીનાબેન દોશી, જૈનમભાઈ દામાણી, ભરતભાઈ મહેતા, પ્રતિભાબેન મહેતા, હર્ષદભાઈ મહેતા, મીતલબેન શાહ, ભાવીશાબેન બાટવીયા, કલાશ્રીબેન દોમડીયા, કાજલબેન મીઠાણી, રજનીકાંતભાઈ સાણંદીયા, શૈલેષભાઈ ઉદાણી, શ્રધ્ધાબેન પારેખ, જીજ્ઞાસાબેન મોદી,શીલ્પાબેન પારેખ, આરતીબેન દોશી, અલ્કાબેન બોરડીયા, રીયાબેન જયભાઈ બાટવીયા, મનોજભાઈ પારેખ, હેમાબેન મોદી અને પારસભાઈ મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
16/03/2026
*જીવદયા ગ્રુપ રાજકોટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, તથા એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ કલબના સંયુક્ત ઉપક્રમે*
*૧૦૦ બર્ડ ફીડર, ૧૦૦ લાકડાના માળા, પક્ષીના પાણીના પીવાના કુંડાનું રવિવારે મેયર બંગલાની સામેથી નિશુલ્ક વિતરણ કરાયું*
*દેહદાન, અંગદાન અને ચક્ષુદાન નાં સંકલ્પપત્રો ભરાવવાનું આયોજન કરાયું*
જીવદયા ગ્રુપ રાજકોટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, એનિમલ હેલ્પલાઇન અને સ્વામી વિવેકાનંદ યુથ કલબ સંયુક્ત નાં ઉપક્રમે રવિવાર તારીખ ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ રેસકોર્સ રીંગ રોડ મેયર બંગલાની સામેથી સવારે ૬:૩૦ કલાકે ૧૦૦ ગ્રીન કલરના બર્ડ ફીડર, ૧૦૦ લાકડાના માળા, પુઠાના માળા, કુંડાના માળા, માટીના માળા નું નિઃશુલ્ક વિતરણ કરાયું સાથોસાથ અંગદાન, ચક્ષુદાન, દેહદાન વગેરેના સંકલ્પપત્રો ભરાવવાનું આયોજન કરવામાં આવેલ. આ સમયે જીવદયા ગ્રુપના મોભી શ્રી ઉપેનભાઈ મોદી, સ્વામી વિવેકાનંદ યુથ કલબ નાં શ્રી અનુપમભાઈ દોશી, મુકેશભાઈ દોશી વગેરે ટીમ, કરુણા ફાઉન્ડેશન ના શ્રી મીતલભાઈ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી તેમજ બાપા સીતારામ ગૌ સેવા મંડળના શ્રી સમીરભાઈ કામદાર નાં માર્ગદર્શન હેઠળ દાતા શ્રી લીનિત એક્સપોર્ટ નાં આશિષભાઈ પંડ્યા અને મિત્રો ના સહકારથી આયોજન કરાયું હતું. આત્મીય કોલેજના વીસી રાકેશભાઈ મુદગલ, ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાની તેમજ આરએસએસ માં પર્યાવરણ નું કાર્ય કરતા ભરતભાઈ એ મુલાકાત લીધેલ હતી જેમાં સર્વે શ્રી પ્રકાશ મોદી, વિરેન્દ્ર સંઘવી, હરેશ દોશી, નિલેશ શાહ, શૈલેષ ઉદાણી, અરુણ નિર્મળ, દિનેશ મોદી, ભરત બોરડીયા, વિજય દોશી, રાજુ જુન્જા, કરસન મોરી, માંડણ ભરવાડ, નિશાંત હરિયાણી, જસવંત ધ્રુવ, ભરત ભીંડા, રાજેન્દ્ર શાસ્ત્રી, વંશ શેઠ, હિરેન કામદાર, જીગર દોમડીયા, પારસ મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Website
Address
Rajkot
Rajkot
360001