Devam Hospital - ravapar
*આજથી શરૂ થતાં માં આદ્યશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. માં આદ્યશક્તિ આપને સુખ,શાંતિ અને નિરામય તેમજ દીર્ઘાયુ જીવન અર્પે અને ભક્તિની શક્તિ અર્પે. આપની શક્તિ રાષ્ટ્રના કાર્યમાં હરહંમેશ લાગેલી રહે અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં જોડાયેલા રહો એવી સદા શક્તિ અર્પે.*
*_या देवी सर्व भूतेषु शक्तिरूपेण संस्थिता,नमस्तस्ये नमस्तये नमो नमः_*
આપ તથા આપના પરિવારને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.
🚩🚩🚩🚩🚩
- Dr.Dipak Kavar 🙏🙏 &
Dr Chetan aghara
Devam hospital-ravapar
"ઘનસાર યોગ"
આયુર્વેદનુ શરદી, ઉધરસ અને અનેક પ્રકારના દુખાવાઓમાં અતિ ઉપયોગી એવું દિવ્ય ઔષધ એટલે ઘનસાર યોગ જેને કેટલાક લોકો "અમૃત બિંદુ" પણ કહે છે.
આ ઔષધ કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે પણ બનાવી શકે છે તેના ઘટક દ્રવ્યો આયુર્વેદિક દવાઓની દુકાને કે કરિયાણાની દુકાને થી આસાનીથી મળી જાય છે.
સામગ્રી:-
(૧) ઈજમેટના ફૂલ
( Menthol )
(૨) અજમોના ફૂલ
( Thymol )
(૩) શુધ્ધ કપૂર
( Camphor )
આ ત્રણેય ઘટક દ્રવ્યોના સ્ફટિકોની દરેકની ૨૫-૨૫ ગ્રામની સમાન માત્રામાં ભેગા કરીને કાચની ખાલી બોટલમાં ભરીને એરટાઈટ પેક કરીને મુકી રાખવાથી આ ત્રણેય સ્ફટિકોનું ચાર થી છ કલાક માં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાશે આ પ્રવાહી દ્રવ્ય ને આયુર્વેદમાં "ઘનસાર યોગ" કહે છે.
ઉપયોગ:-
આજની કોરોનાની પરિસ્થિતિમાં એક ટીપું ધનસાર યોગ કપાળે લગાવવું અને એક ટીપું માસ્ક ઉપર લગાવીને માસ્ક પહેરી રાખવો આનાથી કોઈ પણ પ્રકારના વાઇરસ આપની નજીક નહીં આવે અને શરદી કે ઉધરસ પણ મટી જશે.
સાંધાના દુખાવામાં:-
100 ML સરસવનાં કે શિંગ તેલમાં તેલમાં ફક્ત 5 ML ધનસાર યોગ મેળવી બોટલમાં ભરી લેવું, આ તેલ ને જરા ગરમ કરીને સાંધા ના દુખાવામાં હલકું માલિશ કરવાથી રાહત થશે.
દાંતનાં દુખાવામાં:-
20 ML સરસવનાં તેલ કે શિંગ તેલમાં ફક્ત 2 ML ધનસાર યોગ મેળવી બોટલમાં ભરી લેવું દાંતનાં દુખાવામાં આ તેલનું પોતું મુકવાથી દાંતનો દુખાવામાં રાહત મળે છે.
પેટનાં દુખાવામાં:-
ધનસાર યોગના ફક્ત બે ટીપાં અર્ધા ગ્લાસ પાણી માં નાખી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
નોંધ:-
નાના બાળકો માટે ધનસાર યોગનું પ્રમાણ અર્ધી માત્રામાં રાખવું.
અને આ ધનસાર યોગના દ્રવ્યોની જેને એલર્જી હોય તેઓએ ધનસાર યોગનો ઉપયોગ કરવો નહીં.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Morbi