Hurricane Report
કમ છો બધાં??
મજામાં ને?
કેવો ચાલે છે ચુંટણી નો માહોલ? 😇
14/04/2026
12/04/2026
આ લોકો ને કહીએ આ બધું કરવા કરતાં નાગરિકોને સરકાર અને પોલીસ નાં ગુલામ જ જાહેર કરી દયો.
શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે?
સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ 10 એપ્રિલ 2026ના રોજ ગૃહસચિવ/ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યને પત્ર લખી, ગુજરાતના IPS એસોસિએશનના ઠરાવને પડકાર્યો છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ જાણ કરી છે.
IPS એસોસિએશને કહ્યું છે કે “IPS અધિકારીઓ સામે સોશિયલ મીડિયામાં ‘પાયાવિહોણા આરોપો’ લગાવનારા સામે પગલાં લેવાનો એસોસિએશને નિર્ણય લીધો છે.”
સંજય ઇઝાવાની રજૂઆત છે કે “IPS એસોસિએશન અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર દબાણ લાવવાની ચેષ્ટા કરી છે, જે બંધારણના આર્ટિકલ-19(1)(a)નો ભંગ કરે છે. પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને એસોસિએશન મારફતે દબાણ ઊભું કરે, તે ‘abuse of power’ છે. પોલીસ એક શિસ્તબદ્ધ દળ છે અને તેને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. એસોસિએશનના નામે દબાણ અથવા ધમકી આપવી લોકશાહી માટે ખતરનાક છે.”
થોડા મુદ્દાઓ:
[1] ગુજરાતના IPS એસોસિએશને જો “IPS અધિકારીઓ સામે પાયાવિહોણા આરોપો લગાવનારા સામે પગલાં લેવા”નો ઠરાવ કર્યો હોય કે નિર્ણય કર્યો હોય તો તે શરમજનક બાબત છે. કેમકે કાયદામાં જે જોગવાઈ હોય તેનો અમલ કરવાનો હોય, તે અંગે ઠરાવ કરવાનો ન હોય. ‘પાયાવિહોણા આરોપો’ સબબ બદનક્ષીની કાર્યવાહી થઈ શકે છે. FIR નોંધી શકાય છે. શું કાયદાની આ જોગવાઈઓ IPS એસોસિએશનના વિદ્વાન અધિકારીઓ જાણતા નહીં હોય?
[2] ‘પાયાવિહોણા આરોપો’ મૂકનાર સામે કાયદામાં જોગવાઈઓ હોય તો એસોસિએશનના નામે પગલાં લેવાની ધમકી આપવાની ચેષ્ટા કેમ? શું IPS એસોસિએશન લોકોને ડરાવવા માંગે છે? જો IPS એસોસિએશન ખરેખર નૈતિક હોત, તો તેણે 'તોડકાંડ'માં ફસાયેલા અધિકારીઓ સામે તપાસની માંગ કરી હોત, નહીં કે ટીકાકારોના મોઢા બંધ કરવાની ધમકી આપી હોત.
[3] IPS એસોસિએશને પહેલા નક્કી કરવું પડશે કે જે IPS અધિકારીઓ સામે સાચા આરોપ મૂકાય છે, તેમાં સરકારે કડક કાર્યવાહી કરવી તેવી IPS એસોસિએશન માંગણી કરશે? ઉદાહરણ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના ધારાસભ્ય અને સંસદસભ્યે ફરિયાદી પાસેથી 75 લાખનો ‘તોડ’ કરેલ છે, તેવો આક્ષેપ કરેલ. શું આ આક્ષેપ પાયાવિહોણો હતો? જો પાયાવિહોણો હતો તો ધારાસભ્ય/ સંસદસભ્ય સામે સરકારે કેમ પગલાં લીધા નહીં ? મનોજ અગ્રવાલે બદનક્ષીની ફરિયાદ કેમ ન કરી? બીજું ઉદાહરણ જોઈએ; જેલના વડા ટી. એસ. બિષ્ટે, આજીવન કેદની સજાના કેદીને અરજી લઈને તરત જ જેલમુકત કરી દીધો હતો, તેને ગુજરાત હાઈકોર્ટે તથા સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં પૂર્યો. આ કિસ્સામાં બિષ્ટ સામે પગલાં લેવા IPS એસોસિએશને સરકારને દરખાસ્ત કરી? શું IPS એસોસિએશન સિનિયર પોલીસ અધિકારીઓના પાપ ઢાંકવા માટે જ છે?
[4] આ IPS એસોસિએશન ત્યારે કેમ સૂતું રહ્યું હતું જ્યારે પ્રામાણિક અને બંધારણને પ્રતિબદ્ધ રહીને ફરજ બજાવનાર IPS અધિકારી સતિષ વર્મા/ રજનીશ રાય/ રાહુલ શર્મા/ આર. બી. શ્રીકુમારને જાતજાતનો ત્રાસ આપવામાં આવ્યો, ત્યારે અન્યાય સામે અવાજ ન ઊઠાવ્યો? માની લઈએ કે સંજીવ ભટ્ટે ગુનો કર્યો હતો, પરંતુ CrPC કલમ 197 હેઠળ સરકારે 1990- 2011 દરમિયાન મંજૂરી ન આપી, પરંતુ સંજીવ ભટ્ટે મોદીજી વિરુદ્ધ સોગંદનામું કર્યું એટલે મંજૂરી આપી દીધી! આ બાબતે IPS એસોસિએશન મૌન કેમ રહ્યું હશે? પાલનપુર નાર્કોટિક્સ પ્લાન્ટ કેસમાં જે પોલીસ ઈન્સ્પેકટરે ડ્રગ્સ પ્લાન્ટ કર્યું તેને જ સરકારી સાહેદ બનાવીને સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા કરાવી દીધી! મુખ્ય આરોપીને સરકારી સાહેદ બનાવી શકાય? આ બાબતે IPS એસોસિએશન કેમ ચૂપ રહેલ? સંજીવ ભટ્ટને ફાંસીએ ચડાવી દો, પણ તેમને બચાવની તક તો આપો! સવાલ એ છે કે નિર્દોષ ‘કૌસર બી’ની હત્યા કરી લાશનો નિકાલ કરનાર પોલીસ અધિકારીને સરકારી સાહેદ કેમ બનાવેલ નહીં? નકલી એન્કાઉન્ટરના કેસમાં સરકારે CrPC કલમ 197 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી ન આપી, ત્યારે IPS એસોસિએશન મૌન કેમ રહેલ?
[5] સવાલ એ છે કે શું બંધારણથી મળેલા પાવરનો ઉપયોગ પોતાની ભૂલો છુપાવવા માટે થઈ શકે? જ્યારે પોલીસ પોતે જ ટીકાથી ડરવા લાગે, ત્યારે સમજવું કે દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ જ કાળી છે. 'પાયાવિહોણા આરોપો' સામે લડવાની શક્તિ 'ધમકીના ઠરાવ'માં નહીં, પણ 'પારદર્શક ચરિત્ર'માં હોય છે. IPS અધિકારીઓ નાગરિકોના સેવક છે, માલિક નહીં; અને લોકશાહીમાં માલિક (જનતા)ને સવાલ પૂછવાનો પૂરો અધિકાર છે. આ ઠરાવ સાબિત કરે છે કે પોલીસતંત્ર હવે સેવામાંથી 'સત્તા'માં પરિવર્તિત થઈ ગયું છે.
[6] George Orwellની નવલકથા ‘એનિમલ ફાર્મ‘નું પ્રસિદ્ધ કથન છે : “All animals are equal, but some animals are more equal than others-બધા પ્રાણીઓ સમાન છે, પરંતુ કેટલાક પ્રાણીઓ બીજા કરતા વધુ સમાન છે.” આવા સામંતવાદી-હિટલરી સિદ્ધાંતમાં શું IPS અધિકારીઓ માને છે? શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે? rs [10 એપ્રિલ 2026]
05/04/2026
આ લોકો નાગરિકો ને શું એટલાં બધાં અંધભક્ત અને મુરખ સમજતા હશે, દેશ ની સુરક્ષા વોટ આપે તો જ કરવાની??
ग़ुलामों को ग़ुलामी का एहसास करा दो, वो ख़ुद विद्रोह कर देंगा ।
બગદાણા ની ઘટનાને આ ઘટનાને સાથે સરખાવતા એવું ફલિત થાય કે એક કાયદાકીય રીતે જ ન્યાય મળશે, જેની સામે આક્ષેપો છે એ એક આઈ.પી.એસ. અધિકારી જગદીશભાઈ બાંગરવા છે, અને એને અધિકારી તરીકે વિશેષ પ્રક્રિયા થી જ સસ્પેન્ડ કે ડિસમિસ શકાય, ગુજરાત સરકાર માં પોલીસ વિભાગ અને આ કેન્દ્ર ની સરકાર માં થોડા નિતી નિયમો અલગ હોય છે, સૌપ્રથમ તો કોઈ એક સારા એડવોકેટની સલાહ લેવી જોઈએ કે આ ઘટનામાં સાચો ન્યાય કઈ રીતે મળશે.
બગદાણા ની ઘટનાની જેમ ઘટનાને લઈને યુવા નેતાઓ પક્ષ વિપક્ષ નાં નેતાઓ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવા તો પહોંચી જશે પણ ન્યાય ત્યાં ને ત્યાં રહી જશે, એટલે કાયદેસર ની કાર્યવાહી કઇ રીતે કરવી એ બાબતે માર્ગદર્શન લઈને આગળ વધવું જો યોગ્ય ન્યાય ની ગણતરી હોય તો.
આ પોલીસ અધિકારી નું કૃત્ય ખરેખર જઘન્ય અને શરમજનક હતું ન્યાય તો મળવો જ જોઈએ પણ મહેનત પણ સાચી દિશામાં થવી જોઈએ, નહીં કે ટોળાઓ ભેગા થયા, એકબીજા ઓ પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કર્યા અને જુદા પડ્યા.
એક લીગલ ટીમ અને એડવાઇઝર કમીટીની રચના કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડે એ દિશામાં મહેનત થાય તો પરિણામ મળે.
બાકી બગદાણા ની ઘટનાની જેમ આ ઘટનાં માથી પણ યુવા નેતાઓ નો જન્મ થશે એ તો સારી બાબત જ છે.
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
To. Gundi Vadi-vistar
Bhavnagar
364070