InfoGujarat

InfoGujarat

Share

10/07/2022

કેન્સર અને આયુર્વેદિક ડો.નિકુંજ વિઠલાણી
Cancer and Ayurvedic Dr. Nikunj Vithalani

09/07/2022

કેન્સર ની સાથે બીજી બીમારીઓ ડો.નિકુંજ વિઠલાણી
Other diseases along with cancer are Dr. Nikunj Vithalani

09/07/2022

કેન્સર ના સ્ટેજ વિષે ની માહિતી ડો.નિકુંજ વિઠલાણી

06/12/2021

ઠગાઈ:રાજસ્થાન અને અમદાવાદના વેપારીએ 16 લાખનો માલ ખરીદ્યા બાદ છેતરપિંડી કરી
પૈસાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી
સુરતના રિંગરોડ સ્થિત હરિઓમ ટેક્સ્ટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારી પાસેથી અમદાવાદ અને રાજસ્થાનના વેપારીએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વાયદો કરી રૂપિયા 16.03 લાખનો દુપટ્ટાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉપરથી વેપારીએ ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દુપટ્ટાનો માલ મેળવી લીધો હતો
બનાવની વિગત એવી છે કે, વેસુ વિસ્તારમાં આવેલ ધીરજ સન્સ પાસે સ્વસ્તિક માઇલ સ્ટ્રોનમાં રહેતા 45 વર્ષીય શૈલેષકુમાર મહેન્દ્રકુમાર નાંગલીયા રીંગરોડ પર આવેલ હરીઓમ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર-4087-88,માં સ્વાસ્તિક ટેક્સટાઇલ ફર્મ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 16/04/2019 થી 21/01/2020ના સમયગાળા દરમિયાન મયંકકુમાર મહાવીર ઢેલારીયા (સંદીપ ક્રિઍશનના ­પ્રોપાઇટર) (રહે.જી-303, ત્રીજા માળે, સફલ-3 માર્કેટ, અમદાવાદ) (પ્લોટ નં.-45, મહાવીર કોલોની, ખેડ રોડ, બાલોત્રા, રાજસ્થાન તથા ખટારગાસ ભવન સામે, જૈન ટ્રાવેલ્સની પાછળ,બાલોત્રા,રાજસ્થાન), તથા નિખિલકુમાર મહાવીર ઢેલારીયા (રહે.ઍજન), મહાવીર કેશરીમલ ઢેલારીયા (રહે.ઍજન) અને હેમનદાસ ઉર્ફે બંટીભાઇ તુલજારામ અસવાની (કૈલાશ દુપટ્ટા ફર્મના ­પ્રોપાઇટર/વહીવટકર્તા) (દુકાન નં.-22, બેઝમેંટ, મુન્શી ચેમ્બર, પાંચકુવા અમદાવાદ)એ ભેગા મળી અલગ અલગ બીલ ચલણથી 16,03,177નો દુપટ્ટાનો માલ મેળવી લીધો હતો.

ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું
આ તમામ રકમ માત્ર 30 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. છ મહિના કરતા વધુ સમય થવા છતાં પૈસા નહિ આવતા આખરે શૈલેષકુમારએ પૈસાની માંગણી કરતા તમામ વેપારીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ભોગ બનનાર વેપારીઍ આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

05/12/2021

અમદાવાદ યુનિ.ના દીક્ષાંત સમારોહને સંબોધન:નોબેલ પ્રાઈઝથી સન્માનિત અર્થશાસ્ત્રી બેનર્જીએ કહ્યું-દેશની અર્થવ્યવસ્થા 2019 કરતા પણ નીચલા સ્તરે, આપણે ખૂબ પીડાદાયક સમયમાં છીએ

દેશના અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો હોવાના દાવા વચ્ચે વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ અર્થતંત્ર મામલે એક ગંભીર નિવેદન આપ્યું છે. અભિજિત બેનર્જીએ જણાવ્યું કે, આપણે એક પીડાદાયક સમયમાં છીએ. ભારતીય અર્થવ્યવસ્થા હજુ પણ 2019ના વર્ષ કરતા પણ નીચે છે. લોકો હજુ આર્થિક મુશ્કેલીઓના દોરમાંથી પસાર થઈ રહ્યાં છે.

અમદાવાદ યુનિવર્સિટીના 11માં દીક્ષાંત સમારોહને વર્ચ્યુઅલી સંબોધિત કરતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની મુલાકાતના નિરિક્ષણો શેર કરતા કહ્યું કે, દેશમાં હજુ પણ પહેલા જેવું જ આર્થિક સંકટ છે. અર્થતંત્રની આ સ્થિતિને કારણે લોકોની નાની આકાંક્ષાઓ, વધુ નાની થઈ રહી છે. અભિજિત બેનર્જીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તમે એવા સ્થાને છો, જ્યાં દેશને કંઈક પાછું આપી શકો છો, જેની સમાજને જરૂર છે. આપણ કેટલા નીચે છીએ, તે અંગે જાણતા નથી, પણ ઘણાં નીચલા સ્તરે છીએ અને હું કોઈને દોષ આપી રહ્યો નથી, હું ખાલી મારી વાત કહી રહ્યો છું.

પરિવાર અને સમાજના દબાણમાં આવ્યા વિના કરિયર પસંદ કરજો તેમણે વિદ્યાર્થીઓને વિનંતિ કરી કે, કરિયરની પસંદગી કરતા પહેલા ક્યારેય પણ પરિવાર અને સમાજના દબાણમાં આવતા નહીં. પરંતુ જીવનમાં જે કંઈ કરવા ઈચ્છો તે માટે હિંમત રાખજો.

10 દિવસ તિહાડ જેલમાં રહેવું પડ્યું
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રીએ આગળ કહ્યું કે, જવાહર લાલ નેહરુ વિશ્વ વિદ્યાલય(JNU)માં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી આંદોલનને કારણે મારે 10 દિવસ તિહાડ જેલમાં રહેવું પડ્યું હતું. જ્યારે તિહાડની બહાર આવ્યો ત્યારે વડીલોએ કહ્યું કે, તેની કરિયર સમાપ્ત થઈ જશે. હાર્વર્ડ યુનિવર્સિટી કે અમેરિકા આવવા દેશે નહીં. તેમને લાગતું હતું કે, મારે માફી માગી લેવી જોઈએ.

‘નવી બાબતોના પ્રયોગ કરતા શરમાશો નહિ’
બેનરજીએ કહ્યું કે, ‘સૌથી મહત્ત્વપૂર્ણ, ટ્રેનિંગ તમારા મનપસંદ વિષયની નહિ, પણ મન, ખુલ્લા વિચારો, લોકો શું અર્થ કાઢશે તે સમજવાની ક્ષમતાની છે. યાદ રાખો, પરિવર્તન ધીમે ધીમે આવે છે. નવી બાબતોના પ્રયોગ કરતા શરમાશો નહિ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જેએનયુમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી આંદોલનને કારણે મારે 10 દિવસ તિહાડ જેલમાં રહેવું પડ્યું હતું. બહાર આવ્યો ત્યારે વડીલોએ કહ્યું હતું કે, મારી કારકિર્દી સમાપ્ત થઈ જશે.’

833 વિદ્યાર્થીને પદવી એનાયત
કરિયર પસંદગી કરવા મામલે તેમણે કહ્યું કે, દેશના બે મહાન ફિલ્મ મેકર્સ સત્યજીત રે અને શ્યામ બેનેગલ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ હતા, પણ તેમણે એક નવો ચીલો ચાતર્યો. કોઈ ચોક્કસ ટ્રેનિંગને બદલે, તમને જે આનંદ આપે, વિચારશીલ અને સારો માણસ બનાવે એવી કરિયર જ મહત્વપૂર્ણ છે. સમારોહમાં કુલ 833 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ, જેમાં અમૃત મોદી સ્કૂલ ઑફ મેનેજમેન્ટના 616, સ્કૂલ ઑફ આર્ટ્સ-સાયન્સના 39, સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સના 161, સ્કૂલ ઑફ કમ્પ્યુટર સ્ટડીઝના 17 વિદ્યાર્થીઓ છે.

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Surat
395002